મોરબીના રામધન આશ્રમે ૧૫૨ વર્ષના સંત આનંદમુનીજી મહારાજનું આગમન
ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ
SHARE
ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ
ટંકારા તાલુકાની બંગાવડી સિંચાઈ યોજનામાં હાલમાં મચ્છુ-૨ ડેમ મારફતે સૌની યોજનાનાનુ પાણી આપવામાં આવે છે તે પાણીને બંધ કરવામાં આવે તો ડુબ વિસ્તારના ખેડતોનો પાક બચી શકે તેમ છે જેથી કરીને ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પાણી હાલમાં બંધ કરવાની અને દોઢ મહિના પછી આપવાની માંગ કરવામાં આવી છે
ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં ઓટાળા તથા દેવળીયા ગામના ડુબ વિસ્તારના ખાતેદારોઓ વાવેતર કરેલ છે જે પાક ઉતારા પર છે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી આવતા ખેડૂતોનો પાક ડૂબી શકે તેમ છે જેથી ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોને રાહત આપવા તેમજ પાક ઉતારી જાય ત્યા સુધિ રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતોએ દેવુ કરીને ખેતરોમાં વાવેતર કર્યું છે અને ડૂબ વિસ્તારના ખાતેદારોને જો નુકશાન થશે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ઓછું પાણી ભારે તો ઊભો પાક બચી જાય અને ડૂબમાં ગયેલ જમીન ખાતેદારને નુકશાન ન થાય અને કેનાલ નીચે આવતા ટીમડી, બંગાવડીમાં પાણીની માગણી કરેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને થાનર નુકશાન બચી જાય તેમ છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં ઓટાળા, દેવળીયા તથા બંગાવડીનાં ખાતેદારોને પાણીની જરૂર નથી અને દોઢ માસ પછી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે









