મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ


SHARE















ટંકારાની બંગાવડી ડેમમાં આવતા સૌની યોજનાના પાણીને બંધ કરવા ઓટાળાના સરપંચની માંગ

ટંકારા તાલુકાની બંગાવડી સિંચાઈ યોજનામાં હાલમાં મચ્છુ-૨ ડેમ મારફતે સૌની યોજનાનાનુ પાણી આપવામાં આવે છે તે પાણીને બંધ કરવામાં આવે તો ડુબ વિસ્તારના ખેડતોનો પાક બચી શકે તેમ છે જેથી કરીને ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પાણી હાલમાં બંધ કરવાની અને દોઢ મહિના પછી આપવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં ઓટાળા ગામના સરપંચ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં ઓટાળા તથા દેવળીયા ગામના ડુબ વિસ્તારના ખાતેદારોઓ વાવેતર કરેલ છે જે પાક ઉતારા પર છે ત્યારે મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી પાણી આવતા ખેડૂતોનો પાક ડૂબી શકે તેમ છે જેથી ખેડૂતોને ભારે નુકશાન થાય તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોને રાહત આપવા તેમજ પાક ઉતારી જાય ત્યા સુધિ રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, ખેડૂતોએ દેવુ કરીને ખેતરોમાં વાવેતર કર્યું છે અને ડૂબ વિસ્તારના ખાતેદારોને જો નુકશાન થશે તેઓ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જો ઓછું પાણી ભારે તો ઊભો પાક બચી જાય અને ડૂબમાં ગયેલ જમીન ખાતેદારને નુકશાન ન થાય અને કેનાલ નીચે આવતા ટીમડી, બંગાવડીમાં પાણીની માગણી કરેલ છે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને થાનર નુકશાન બચી જાય તેમ છે વધુમાં એવું પણ જણાવ્યુ છે કે, હાલમાં ઓટાળા, દેવળીયા તથા બંગાવડીનાં ખાતેદારોને પાણીની જરૂર નથી અને દોઢ માસ પછી ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે સમયસર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News