મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી


SHARE













મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે તડામાર તૈયારી

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથોસાથ આ વર્ષે રાસગરબા, શોભાયાત્રા, અન્નકૂટ, મહાઆરતી તેમજ મહાપ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ છે.

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભગવાન વિષ્ણુનાં છઠ્ઠા અવતાર અને ભૂદેવોનાં આરાધ્ય દેવ ચિરંજીવી ભગવાન પરશુરામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગામી તા. ૨૨ એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ હોય પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે ભવ્ય શોભાયાત્રા તો રાખવામા આવી જ છે તેની સાથે તા. ૨૧ એપ્રિલનાં રોજ રાત્રે ભવ્ય રાસગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે ભવ્ય રાસગરબા રાખવામા આવેલ છે અને તા. ૨૨ ના રોજ વાઘપરા શેરી-૧૪ માં આવેલ ગાયત્રી મંદિર ખાતેથી બપોરે ૪ કલાકે પરશુરામ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને શહેરનાં મુખ્ય માર્ગો પર ફરીને પરશુરામધામ ખાતે આ શોભાયાત્રા પૂર્ણ થશે ત્યાં મહાઆરતી, અન્નકુટનો પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો મોરબી શહેર અને આસપાસના ગામમાં રહેતા સર્વે ભુદેવોએ લાભ લેવા માટે અને ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા માટે પરશુરામ યુવા ગ્રુપનાં પ્રમુખ રોહિતભાઇ પંડ્યા, મહામંત્રી ધ્વનિતભાઇ દવે, મહામંત્રી કમલભાઈ દવેએ જણાવ્યુ છે






Latest News