મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર


SHARE







મોરબી ટુડેની અસર: વાંકાનેરમાં સમરસતા દિવસની ઉજવણીની નવી પત્રિકા બની, રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેતું તંત્ર

વાંકાનેર તાલુકામાં વિધાનસભાની ચૂંટણી પછી પણ હજુ પણ ક્યાંકને ક્યાંક રાજકીય ખેચતાણ અને અસ્તિત્વનો જંગ ચાલી રહ્યો હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે તા. ૧૪ ના રોજ વાંકાનેરમાં કુંભારપરા ચોક ખાતે સમરસતા દિવસ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને તેના માટે આમંત્રણ કાર્ડ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતુ તેમાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે ચર્ચાનો વિષય બન્યો હતો જેના સમાચાર મોરબી ટુડેમાં પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ તંત્ર દ્વારા રાજકીય પરોજણમાંથી હાથ ખંખેરી લેવા માટે તાત્કાલિક નવી પત્રિકા બનાવવામાં આવી હતી અને તેને ઓનલાઈન સર્ક્યુલેટ કરવામાં આવી હતી

વાંકાનેરમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સમરસતા દિવસ ૨૦૨૩ નિમિત્તે વાંકાનેરના કુંભારપરા ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે લોક ડાયરાનું આયોજન કરવામાં હતું જેની આમંત્રણ પત્રિકામાં વાંકાનેરના ધારાસભ્ય, વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ સહિતના લોકોના નામ ન હોવાથી તે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેથી કરીને રાજકીય ખેંચતાણ અને અસ્તિત્વનો જંગ વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ચાલુ હોવાની વાતો થવા લાગી હતી

કેમ કે, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.કે. વ્યાસના નામથી જે આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે તેમાં મુખ્ય મહેમાન તરીકે પહેલા બનાવવામાં આવેલ પત્રિકામાં વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનોના નામ હતા જો કે, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું નામ હતું નહીં જો કે, વાંકાનેર શહેરની અંદર જે કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેની આમંત્રણ પત્રિકામાં જીતુભાઈ સોમાણીનું નામ નથી તેના સમાચાર મોરબી ટુડેમાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી રજાના દિવસે નવી પત્રિકા તૈયાર કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્યનું નામ ઉમેરવાને બદલે તંત્રએ અગાઉ લખેલા તમામ આગેવાનોના નામ કાઢી નાખ્યા છે જેથી કરીને વાંકાનેરની રાજકીય પરોજણમાંથી તંત્રએ હાથ ખંખેરી લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News