મોરબી-ટંકારામાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા
મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે
SHARE
મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ યોજાશે
ભારત અને વિશ્વના કરોડો વૈષ્ણવ હોશભેર પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટય મહોત્સવ ઉજવે છે તેવી જ રીતે મોરબીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ૫૪૬મો પ્રાગટય મહોત્સવ રવિવાર તા ૧૬ ના રોજ યોજાશે
મહાપ્રભુજીની કુલ ૮૪ બેઠકજી આવેલ છે તે પૈકીની એક મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ છે આ બેઠકજીમાં વલ્લભાચાર્યજીનો ૫૪૬મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે ત્યારે તા ૧૬ ના રોજ ૭ કલાકે જાગ્યાના દર્શન, ૭: ૩૦ કલાકે મંગળા દર્શન, ૮:૦૦ કલાકે શ્રુંગાર દર્શન અને બપોરે ૧:૦૦ કલાકે રાજભોગ દર્શનનો ભક્તો લાભ લેશે ત્યારે બાદ તિલક દર્શન, નંદ મહોત્સવ ઉજવાશે અને સવારે ૭:૦૦ થી ૧:૦૦ સુધી ઝારી ચરણસ્પર્શ થશે અને પ્રાગટ્ય દર્શન ૩:૦૦ થી ૭:૦૦ સુધી કરી શકશે જેનો વૈષ્ણવો, સનાતન ધર્મપ્રેમીઓ સહિતનાને લાભ લેવા જાહેર નિમંત્રણ આપ્યું છે