મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો


SHARE







ટંકારા તાલુકામાં પિતાની હત્યા કરનારા દીકરાને પોલીસે જેલ હવાલે કર્યો

ટંકારા તાલુકામાં આવતા વાઘગઢ ગામે પિતાની હત્યા કરીને દીકરાએ તેની લાશને જમીનમાં દાટી દીધી હતી જો કે, જનવારોએ લાશને બહાર કાઢતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે મૃતકના દીકરાની ધરપકડ કરી હતી અને હાલમાં તે આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દાટી દેવામાં આવેલ પુરુષની લાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (૬૨) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ હતી અને આ આરોપીને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તે આરોપીને કોર્ટના હુકમ મુજબ મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News