મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી


SHARE













ટંકારા તાલુકાની ગાંધીનગરથી આવેલા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના રોલ ઓબ્ઝર્વરે મુલાકાત લીધી

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તારીખ  ૨૩ને રવિવારે ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ગાંધીનગરથી રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય મોરબી જીલ્લામાં આવેલ છે અને ત્યારે તેઓએ ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી.

ચૂંટણીપંચ દ્વારા તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે તા ૨૩/૪/૨૦૨૩  ખાસ ઝુંબેશના દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રવિવારે તમામ મતદાન મથકોએ બૂથ લેવલ અધિકારીઓ દ્વારા નામ નોંધણી, નામ સુધારા-વધારા તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવશે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સી.ઈ.ઓ. ઓફિસ ગાંધીનગરના રોલ ઓબ્ઝર્વર કુલદીપ આર્ય સાથે ડેપ્યુટી કલેકટર પરમાર, ટંકારા મામલતદાર કેતન સખિયા દ્વારા ૬૬-ટંકારા વિ.સ.મ.વિ.નાં ટંકારા તાલુકાનાં બુથ નં ૧૫૩-ટંકારા-૨ કુમાર તાલુકા પ્રાથમીક શાળા તથા ૧૬૦-ટંકારા-૯ એમ.પી.દોશી હાઈસ્કૂલ ખાતે મતદાન મથકોની મુલાકાત કરેલ હતી. 

જેમા બીએલઑ પાસેથી મતદારયાદી સંદર્ભે સુચનો લેવામાં આવ્યા હતા અને રોલ ઓબ્ઝર્વર દ્વારા ફોર્મ નં-૬.૭ તથા ૮ ની ચકાસણી કરેલ હતી તેમજ ડુપ્લીકેટ નામો તથા ઈપીક ફોટો બાબતે કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હતી અને કાયમી સ્થાંળાતર તથા મૃત્યુના કિસ્સામાં ફોર્મ નં-૭ ભરવાની સુચના આપવામાં આવી હતી ઉપરાંત આગામી તારીખ ૨૩/૦૪/૨૦૨૩ ના રોજ હક્ક-દાવા સ્વીકારવા માટેનો છેલ્લો દિવસ હોઈ ટંકારા તાલુકાના તમામ નાગરિકોને લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આઝાદીના પ્રથમ ઉદ્બોધક વેદ તરફ પાછા વળોનુ સુત્ર આપનાર આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમીની મુલાકાત લીધી હતી અને ધન્યતા અનુભવી હતી.








Latest News