મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE







ટંકારામાં કેન્દ્રિય મંત્રીની હાજરીમાં ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્નમાં ૨૭ દંપતીએ પ્રભુતામાં ડગ માંડ્યા

છેલ્લા અગિયાર વર્ષથી અખાત્રીજના પાવન દિવસે કડવા પાટીદાર સમાજના ઉમિયા સમુહ લગ્ન સમિતિ દ્વારા શાહી લગ્નોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આ વખતે પણ નવ નિર્માણ ટંકારા પાટીદાર સમાજ ભવન ખાતે આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાહી સમુહ લગ્નોત્સવમાં ૨૭ દંપતીઓ વડીલો, આગેવાનો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં પાડયા હતા. ત્યારે આ લગ્નોત્સવમાં રક્તદાન, બેટી બચાવો, સ્વચ્છ ભારત, પાણી બચાવો, વૃક્ષો વાવો તેમજ પશુ-પક્ષીની જીવમાત્રની જાળવણીનું મહત્વ, મેડિકલ સાધન સહાય જેવી વિવિધ સામાજિક સુધારા અંગે ચિત્રાવલી થકી જાગૃત કરવા સહિયારો પ્રયાસ કર્યો હતો. આ શુભ પ્રસંગે મહંત દામજી ભગત, કેન્દ્ર સરકારના મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુલભજીભાઈ દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સાંસદ મોહનભાઇ કુડારીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, સિદસર મંદિરના પ્રમુખ જેરાજભાઈ વાસઝાણીયા, આંબાભગત જગ્યાના પ્રમુખ હરેશ ધોડાસરા જીલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી, લેઉવા પાટીદાર સમુહ લગ્ન સમિતિ સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી નવયુગલોને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સૌથી મોટો ફાળો સ્વયંસેવકોનો છે જેથી કરીને સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદ બારૈયા, પ્રમુખ હિરાભાઈ ફેફર સહિતની કમિટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News