મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


SHARE













ટંકારાના લજાઈ જોગ આશ્રમમાં રામાયણ, સુંદરકાંડ, અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલા જોગ આશ્રમ ખાતે તા. ૧/૫ ને સોમવારે ધ્યાનશંકર મુક્તિ નારાયણ જોગ બાપુની ૪૬મી સમાધી તિથી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

સૈકાઓથી જપ-તપની ધરા રહેલી અને અનેકોનેક ઈતિહાસને સાચવીને બેઠેલી આદી અનાદિ પુર્વેની ઢંકપુર નગરી જ્યાં ચોંકાવનારી ચમત્કારિક ૪૬ જોગણીની ધટના બાદ લજાઈ ગામથી ખ્યાતનામ બનેલી જગ્યાએ હાલ જોગ આશ્રમ આવેલ છે. જ્યાં પરમ પૂજ્ય અને મોરબીવાસીના શ્રદ્ધેય સંત તરીકે સ્થાન પામેલ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ (જોગ બાપુ) અહી એકાદ દશકા તપસ્યા કરી સ્થાનને પાવન કરી ગયા હતાં

 

જેમની સમાધી તિથિ તા.૧/૫ ને સોમવારે જોગ આશ્રમ લજાઈ ખાતે નવનિર્માણ સમિતિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેકવિધી કાર્યક્રમ જેવા કે, મહાત્માનું ધ્યાનધરી પુજન અર્ચન આરતી તેમજ નકલંકધામ મંડળ-બગથરા દ્વારા સંપુટ ધૂન સંપુટ રામાયણ, રામાયણ અને સુંદરકાંડ, વીરપર મંડળ દ્વારા અખંડ ધૂન અને સાંજે ૬ કલાકે મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

જોગબાપુ ગુરૂદેવ મોરબી મચ્છુ-૨ ડેમનુ નવ નિર્માણ કાર્ય ૧૯૬૫ મા સર્વ શરૂ થતા સેવકગણની વિનંતીથી લજાઈ આવ્યા હતા અહીં ૧૨ વર્ષ એટલે કે, ૧૯૭૭ સુધી રોકાયા અને કરૂણાનિધિ એ સમાધી સ્થાન માટે પાચાણભુમીની પસંદગી કરતા લજાઈથી એક વર્ષ થાન આશ્રમમાં રોકાયા બાદ ૧૯૭૮ માં નશ્વર દેહ ત્યાગવાનુ નક્કી કરી અહી થાનગઢ ખાતે સમાધી લીધી હતી જેને ૪૬ વર્ષ પુર્ણ થવાના છે ત્યારે આ નિર્માણ તિથી નિમિત્તે પુજ્ય ગુરુદેવના આર્શીવાદ, ધર્મલાભ તેમજ સત્સંગ અને સંપૂટ રામાયણનો લાભ લેવા નવનિર્માણ સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News