મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારાના લગધીરગઢ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં કુકર ફાટતાં દાઝી ગયેલ મહિલા સારવારમાં


SHARE













ટંકારાના લગધીરગઢ પાસે કારખાનાના લેબર ક્વાર્ટરમાં કુકર ફાટતાં દાઝી ગયેલ મહિલા સારવારમાં

ટંકારા નજીકના લગધીરગઢ ગામ પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રસોઈ બનાવતા સમયે કોઈ કારણોસર કુકર ફાટ્યું હતું જેથી કરીને પરણીતા શરીરે દાજી ગઈ હોવાથી ટંકારાની ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, મોરબી ખાતે બર્ન્સ વિભાગ ન હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા નજીક આવેલ લગધીરગઢ ગામ પાસે નેચરલ ટેકનો ફાઇબર નામના કારખાનામાં મજૂરી કામ કરતા અને ત્યાં ઓરડીમાં રહેતા માનતુનભાઈ મુખ્યના પત્ની સુલેચંદદેવી (૨૦) પોતાના લેબર ક્વાર્ટરની અંદર રસોઈ બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર કુકર ફાટયું હતુ જેથી કરીને તે દાઝી ગઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે ટંકારામાં આવેલ વેદ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે મોરબીની સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વિભાગ ન હોવાથી આ મહિલાને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો બે વર્ષનો છે અને તેને સંતાન નથી અને હાલમાં તે સાસુ સસરાથી અલગ રહેતા હોય પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News