મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ


SHARE







વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ

(કેતન ભટ્ટી દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ શહેરનાં મુખ્ય આકર્ષણ રૂપ એવા માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ૭૧ કિલોનો લાડુ ધરવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

વાંકાનેર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરાનાં જણાવ્યા મુજબ વાંકાનેર ટાઉન હોલ ખાતે પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ ની રાત્રે ૭૧ કિ.ગ્રા નો લાડુ ધરવામાં આવશે અને શહેરનાં તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે તે માટે આજરોજ રાત્રે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો એક સાથે વિઘ્નહર્તા ગણેશની સામૂહિક આરતી કરશે, માર્કેટ ચોક કા રાજા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આજરોજ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે શહેરનાં તમામ વોર્ડમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.






Latest News