મોરબીમાં જુદીજુદી જગ્યાએથી પાણીપુરીનું પાણી અને જુદાજુદા શાકના નમૂના મનપાના ફૂડ વિભાગે લીધા મોરબી વાસ્મો દ્વારા મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લામાં વંદે માતરમ્ @ ૧૫૦ ની ઉજવણી અન્વયે ૨૩ થી ૩૧ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થા મળેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પીવાનું પાણી સહિતની સુવિધાઓ સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરાઈ મોરબીમાં અચાનક વાતાવરણમાં આવેલ પલટાના લીધે મોટાભાગના સિરામિક કારખાનેદારોને 50 હજારથી લઈને 5 લાખ સુધીનું નુકશાન મોરબીમાં ભારે પવન-કમોસમી વરસાદે જીરું, ચણા, લસણ, ડુંગળી અને ઘઉં સહિતના પાકનો સોથ વાળી દીધો: ખેડૂતો પાયમાલ મોરબી મહાપાલિકાનું 1132.38 કરોડનું બજેટ મંજૂર: શહેરમાં 9 મુખ્ય રસ્તા- 6 તળાવનું કરાશે બ્યુટીફીકેશન, 24 સર્કલના નવીનીકરણનું આયોજન મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ


SHARE











વાંકાનેરમાં વડાપ્રધાનનાં ૭૧ માં જન્મદિન નિમિતે માર્કેટ ચોક કા રાજા ખાતે ધરાવશે ૭૧ કિલોનો લાડુ

(કેતન ભટ્ટી દ્વારા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત આજરોજ શહેરનાં મુખ્ય આકર્ષણ રૂપ એવા માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલ ખાતે ૭૧ કિલોનો લાડુ ધરવામાં આવશે અને મહાઆરતી યોજાશે.

વાંકાનેર નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરાનાં જણાવ્યા મુજબ વાંકાનેર ટાઉન હોલ ખાતે પૂર્વ નગરપતિ અને ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૭૧ માં જન્મ દિવસ નિમિત્તે તા. ૧૭ ની રાત્રે ૭૧ કિ.ગ્રા નો લાડુ ધરવામાં આવશે અને શહેરનાં તમામ ભાવિકો આરતીનો લાભ લઈ શકે તે માટે આજરોજ રાત્રે મહાઆરતી કરવામાં આવી છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો એક સાથે વિઘ્નહર્તા ગણેશની સામૂહિક આરતી કરશે, માર્કેટ ચોક કા રાજા ખાતે બહોળી સંખ્યામાં ભાવિકો દ્વારા સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, આ ઉપરાંત આજરોજ મોદીનાં જન્મ દિવસ નિમિત્તે શહેરનાં તમામ વોર્ડમાં કોરોના વેક્સિનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.




Latest News