ટંકારાની લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર: અધિકારી-પદાધિકારી કેમ ચુપ ?
મોરબીમાં દર્દીને સારવાર માટે આર્થિક મદદ કરતાં અજયભાઈ લોરીયા
SHARE
મોરબીમાં દર્દીને સારવાર માટે આર્થિક મદદ કરતાં અજયભાઈ લોરીયા
મોરબીનાં એક પરિવારે પરિસ્થિતિ સારી ન હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા લઈ ઘરે ગયા છે અને આ અંગેની જાણ મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાને થઈ હતી જેથી તે દર્દીના ઘરે જઈને તેના પરિવારને આર્થિક મદદ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના હરીપર(કે) ગામના ધીરજલાલ ઉઘરેજા આર્થિક પરિસ્થિતિના કારણે હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે જતા રહ્યા હતા. જે અંગેની સેવા એજ સંપતિ ફાઉન્ડેશનનાં પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયાને જાણ થતા ઘરે જઈને પરિવારને ૫૧૦૦૦ નો ચેક આપી હોસ્પિટલમાં દાખલ કરવા અને હોસ્પિટલનો ખર્ચ ઉપાડવાની વાત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.