હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી મોરબીમાં અનુજાતીના વ્યક્તિને મકાન ભાડે આપનારા વૃદ્ધને મકાન ખાલી કરાવવા માટે બે શખ્સોએ ફોન ઉપર આપી ધમકી માળીયા (મી)ના કુંભારિયાથી લૂંટવદર ગામે ભાઈને લેવા માટે જતાં ભાઈને રસ્તમાં કાળનો ભેટો: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હળવદના ટીકર ગામનો બનાવ: ઘરધાણી મીઠાની ખેતી કરવા ગયા અને તસ્કર ઘરમાંથી સોનાના દાગીના ચોરી કરીને 3.94 લાખનું ખાતર પાડી ગયો મોરબીમાં ત્રિકોણ બાગ પાસે દુકાને બેઠેલા યુવાનને અગાઉના ઝઘડાનો ખાર રાખીને ગાળો આપીને મારમાર્યો માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિત ૧૦ સોસાયટીના વરસાદી પાણી નિકાલ બાબતે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે બાંય ચડાવ્યા બાદ મામલો થાળે પડ્યો


SHARE













મોરબીના કંડલા બાયપાસ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિત ૧૦ સોસાયટીના વરસાદી પાણી નિકાલ બાબતે સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે બાંય ચડાવ્યા બાદ મામલો થાળે પડ્યો

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિતની ૧૦ જેટલી સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે થઈને પાઇપલાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામગીરી હાલમાં કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન પાથરવાનું કામ ચાલી રહ્યું છે દરમિયાન કોન્ટ્રાક્ટરે સીધી પાઇપલાઇન નાંખવાના બદલે વચ્ચે આવતા દુર્લભ પાર્ટી પ્લોટ પાસે પાઇપલાઇનનું કામ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાનું સ્થાનિક લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને મોરબી નગરપાલિકાના માજી ચેરમેન દેવાભાઈ અવાડિયા સહિતના સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કામ કરવામાં આવતું હતું તે કામ બંધ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તાત્કાલિક કોન્ટ્રાક્ટર દ્વારા જે સીધી લાઈનમાં પાઇપલાઇન મંજુર કરવામાં આવી હતી તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં મામલો થાળ પડ્યો છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા જો વરસીદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે રીતે પાઇપલાઇનની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ સ્થાનિક લોકો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર આડેધડ રોડ રસ્તાના કામ તથા વરસાદી પાણીના નિકાલ માટેના કામ છેલ્લા વર્ષોમાં કરવામાં આવ્યા છે જેનો મોરબીવાસીઓને ઓછો અને કોન્ટ્રાક્ટરોને વધુ ફાયદો થયો છે જેથી કરીને ચોમાસા દરમિયાન કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા હોય છે ત્યારે જો આ કામગીરી યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો બાયપાસ રોડ ઉપર આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટી સહિતની ૧૦ જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાય અને સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોએ આ કામનો વિરોધ કર્યો હતો અને કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હોવાથી હાલમાં મામલો થાળે પડ્યો છે.






Latest News