હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ


SHARE













વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ

વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં હિન્દુ યુવા વાહીની સમસ્ત હિંદુ સંગઠન દ્વારા કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ન થાય તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.

વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટી લી. ને જીન પ્રોસેસિંગ અને ઓઈલ મિલ બનાવવા માટે ફાળવેલ હતી જે જમીન હ.બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા ખરીદ કરવા મંજુરી હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે સમસ્ત હિંદુ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું. જેમાં આ જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ના થાય તે માટે તાત્કાલિક કલેકટર પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવીને દસ્તાવેજ નોંધણી થાય તે પૂર્વે પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી. મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે જીલેષ કાલરીયા, ચેતનગીરી ગોસ્વામી, રાજ સોમાણી, અમિતભાઈ સેજપાલ, મયુરભાઈ, કમલેશભાઈ બોરિચા સહિતના આગવેયનો તેમજ વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ.. હંસગીરી જીવણગીરી ગૌસ્વામી ટ્રસ્ટ-વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દૂ સમાજ વાંકાનેર, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જુદીજુદી સંસ્થાઓના હોદેદારો હાજર રહ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી 






Latest News