મોરબી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા મહિલા તાલીમાર્થીઓ માટે વૃત્તિકા યોજના અંગે તાલીમ યોજાશે
વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ
SHARE
વાંકાનેર તાલુકામાં સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી !: વિવાદના એંધાણ
વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની જમીન મુસ્લિમ ટ્રસ્ટને ખરીદ કરવા મંજુરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં હિન્દુ યુવા વાહીની સમસ્ત હિંદુ સંગઠન દ્વારા કલેકટરને આવેદન પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ન થાય તે માટે તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી છે.
વાંકાનેરના ચંદ્રપુર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૧૭૮ પૈકીની જમીન વાંકાનેર તાલુકા કો ઓપરેટીવ પ્રોસેસિંગ સોસાયટી લી. ને જીન પ્રોસેસિંગ અને ઓઈલ મિલ બનાવવા માટે ફાળવેલ હતી જે જમીન હ.બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટને હોસ્પિટલ બનાવવા ખરીદ કરવા મંજુરી હુકમ કરવામાં આવ્યો છે જેના વિરોધમાં આજે સમસ્ત હિંદુ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરી પહોંચીને આવેદન પાઠવ્યું હતું. જેમાં આ જમીન ટ્રસ્ટને પાણીના ભાવે આપી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જમીનનો દસ્તાવેજ ના થાય તે માટે તાત્કાલિક કલેકટર પગલા લે તેવી માંગ કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવીને દસ્તાવેજ નોંધણી થાય તે પૂર્વે પ્રક્રિયા અટકાવવા માંગ કરી હતી. મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે જીલેષ કાલરીયા, ચેતનગીરી ગોસ્વામી, રાજ સોમાણી, અમિતભાઈ સેજપાલ, મયુરભાઈ, કમલેશભાઈ બોરિચા સહિતના આગવેયનો તેમજ વાંકાનેરના લોહાણા મહાજન, સ્વ.. હંસગીરી જીવણગીરી ગૌસ્વામી ટ્રસ્ટ-વાંકાનેર, ભારતીય કિશાન સંઘ, સમસ્ત હિન્દૂ સમાજ વાંકાનેર, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિતની જુદીજુદી સંસ્થાઓના હોદેદારો હાજર રહ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી