મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન


SHARE













મોરબીમાં ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર" પ્રેરીત "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી કે જે ધી વી.સી.ટેક. હાઈસ્કૂલના રૂમ નં.૨૦૨ માં કાર્યરત છે.તેના દ્રારા ૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે ૩૧ મે ના દિવસને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને તમાકુની શરીર પરની હાનીકારક અસરોથી અવગત કરાવવામાં આવે છે અને લોકોને તમાકુ મુક્તિ માટે પ્રેરણા આપવામાં આવે છે.તમાકુ નિષેઘને  લોકો વ્યક્તિગત રીતે પણ તમાકુ ઉત્પાદનોનો ત્યાગ કરી તમાકુ પર વેડફાતા પૈસાનો આરોગ્યપ્રદ ખોરાક, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાછળ સદઉપયોગ કરી પોતાના જીવનમાં નોંધપાત્ર પરીવર્તન લાવી શકે છે.તા.૩૧ મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસે "જીવવું હોય તો વ્યસન છોડો, નહીંતર  વ્યસન જીવતાં નહિં છોડે" એટલે કે 

"કહો..તમાકુ ને ના.. જિંદગી ને હા.." અનુસંધાને ઘરે બેઠાં પ્રશ્નોતરી સ્પર્ધામાં  ભાગ લેવાં માટે કેટેગરી મુજબ પ્રશ્નો તાયાર કરાયા છે જેનાં ઉત્તરનો વિડીયો બનાવીને છેલ્લી તા.૩૧-૫ રાત્રીના નવ વાગ્યા સુધીમાં વોટસપ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથવા ૯૭૨૭૮ ૮૬૩૮૬ ઉપર મોકલી આપવાના રહેશે તેમ કેન્દ્ર સંચાલક એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.કેટેગરી મુજબની પ્રશ્નાવલી પણ તેમની પાસેથી જાણવા મળશે






Latest News