મોરબીના કાલીકાનગર ગામનો ખેડૂત પ્રાકૃતિક ખેતી કરીને થયો માલામાલ
મોરબીમાં પિતાનાં નિધન દીકરીના લગ્નમાં સરકારે માંમેરું પુર્યુ
SHARE
મોરબીમાં પિતાનાં નિધન દીકરીના લગ્નમાં સરકારે માંમેરું પુર્યુ
ગુજરાત સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાત રાજ્યમાં મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવનો સોનેરી સુરજ ઉગ્યો છે. આશાના કિરણ સમાન કુંવરબાઈનું મામેરું યોજના વિશે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા લાભાર્થી કાજલબેન સનુરા જણાવે છે કે મારા પિતા મનસુખભાઈનું વર્ષ ૨૦૦૩માં અવસાન થયેલ ત્યારે અમારા ત્રણેય ભાઈ-બહેનોને ઉછેરવાની જવાબદારી મારી માતા પ્રભાબેનને શીરૈ આવેલી હતી
ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. મારી માતા તે સમયે નળિયાના તેમજ લાદીના કારખાનામાં રસોઈ કરી તેમાંથી ઘરનું ગુજરાન ચલાવતા અને મારા લગ્ન વિશે હંમેશા ચિંતા રહેતા આવા સમયે સરકારે મોસાળ પક્ષની ભૂમિકા અદા કરી કુંવરબાઈનું મામેરુ યોજના થકી અમારા પ્રસંગને ઉજળો બનાવ્યો છે. સમાજની દરેક દીકરીઓ આવી કલ્યાણકારી યોજનાનો લાભ લે તેવો હું અનુરોધ કરું છું આ તકે હું સરકારશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું
કાજલબેનના માતૃશ્રી પ્રભાબેન જણાવે છે કે દીકરીના પિતાના નિધન બાદ બાળકોના ભવિષ્ય અંગે સતત ચિંતા રહેતી પણ ગુજરાત સરકારના સકારાત્મક અભિગમથી દીકરીનું સપનું સરકારે પૂર્ણ કર્યું છે મારી દીકરી કાજલના લગ્ન પ્રસંગે સરકારે મામેરું પુર્યું છે તેનો અમને સંતોષ છે. આ તકે હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું