હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીએ વરસાદી પાણીનો કાયમી નિકલ ન થાય તો લોકોએ હોળીઓ વસાવવી પડશે !


SHARE













મોરબીમાં અવની ચોકડીવરસાદી પાણીનો કામી નિકલ ન થાય તો લોકોહોળીઓ વસાવવી પડશે !

મોરબીમાં આવેલ આવેલ અવની ચોકડી પાસે દરવર્ષે વરસાદના પાણી ભરાઈ છે તેનો કાયમી નિકાલ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી ચોમાસા પાહેલા કામ મંજૂર કરીને ચાલુ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો ચોમાસા પહેલા કામ નહીં કરવામાં આવે તો લોકોને હોળીઓ વસાવવી પડશે ! તેવું પણ પત્રમાં લખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીમાં અવની ચોકડી પાસે છેલ્લા ચારથી પાંચ વર્ષથી દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ભરાય છે. અને લોકોને પોતાના ઘરેથી ધંધાના સ્થળે કે નાના બાળકોને સ્કુલે જવામાં અને મહિલાઓને ખરીદી કરવા માટે જવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે કેમ કે, રવાપર વિસ્તારનું પાણી જે પહેલા ન આવતું હતું તે ડાયવર્ટ થઈ ને ખુબ જ મોટા પ્રમાણ ત્યાં આવી રહ્યું છે અને પાણી ભરેલ હોવાના લીધે ત્યાં અકસ્માત થવાની ભીતિ રહેલ છે આ બાબતે સ્થાનિક તંત્રને તેમજ મુખ્યમંત્રી સુધી આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં લોકોને હોળીઓ વસાવવી પડશે ! જેથી તાકાલીક આ કામ મંજુર કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવું કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવામાં આવશે






Latest News