મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં અવની ચોકડીએ વરસાદી પાણીનો કાયમી નિકલ ન થાય તો લોકોએ હોળીઓ વસાવવી પડશે !


SHARE







મોરબીમાં અવની ચોકડીવરસાદી પાણીનો કામી નિકલ ન થાય તો લોકોહોળીઓ વસાવવી પડશે !

મોરબીમાં આવેલ આવેલ અવની ચોકડી પાસે દરવર્ષે વરસાદના પાણી ભરાઈ છે તેનો કાયમી નિકાલ કરવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે જો કે, હજુ સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આગામી ચોમાસા પાહેલા કામ મંજૂર કરીને ચાલુ કરવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને જો ચોમાસા પહેલા કામ નહીં કરવામાં આવે તો લોકોને હોળીઓ વસાવવી પડશે ! તેવું પણ પત્રમાં લખવામાં આવેલ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે કે, મોરબીમાં અવની ચોકડી પાસે છેલ્લા ચારથી પાંચ વર્ષથી દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણી ભરાય છે. અને લોકોને પોતાના ઘરેથી ધંધાના સ્થળે કે નાના બાળકોને સ્કુલે જવામાં અને મહિલાઓને ખરીદી કરવા માટે જવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે કેમ કે, રવાપર વિસ્તારનું પાણી જે પહેલા ન આવતું હતું તે ડાયવર્ટ થઈ ને ખુબ જ મોટા પ્રમાણ ત્યાં આવી રહ્યું છે અને પાણી ભરેલ હોવાના લીધે ત્યાં અકસ્માત થવાની ભીતિ રહેલ છે આ બાબતે સ્થાનિક તંત્રને તેમજ મુખ્યમંત્રી સુધી આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં લોકોને હોળીઓ વસાવવી પડશે ! જેથી તાકાલીક આ કામ મંજુર કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આવું કરવામાં નહિ આવે તો ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવામાં આવશે






Latest News