વાંકાનેરના દુષ્કર્મ કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો: પીડિતા અને માતા-પિતા સામે તપાસનો આદેશ
હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત
SHARE
હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત
હળવદના કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરતાં હતા ત્યારે હળવદ વીજ કંપનીના કર્મચારીને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામે રહેતા અને વીજ કંપનીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા (૩૨) બુધવારે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરી રહ્યા હતા ત્યારે વીજપોલ ઉપર તેને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની હળવદ વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓને થતાં તે તાત્કાલિક દિગ્વિજયસિંહને સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી









