મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત


SHARE







હળવદમાં વીજ લાઈન રીપેરીંગ સમયે વીજ શોક લગતા વિજકર્મીનું મોત

હળવદના કોયબા અને ઢવાણા ગામની સીમમાં જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરતાં હતા ત્યારે હળવદ વીજ કંપનીના કર્મચારીને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું ત્યાર બાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના કોયબા ગામે રહેતા અને વીજ કંપનીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા (૩૨) બુધવારે કોયબા અને ઢવાણા ગામ વચ્ચે જ્યોતિગ્રામની વીજ લાઈન રીપેર કરી રહ્યા હતા ત્યારે વીજપોલ ઉપર તેને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની હળવદ વીજ કંપનીના અધિકારી અને કર્મચારીઓને થતાં તે તાત્કાલિક દિગ્વિજયસિંહને સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News