ટંકારામાં સરકારી પંચરોજકામના રૂપિયા પડાવનાર મહેશ ગોપાણી હજુ પોલીસ પકડથી દૂર !
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે
SHARE
મોરબીમાં રોટરી ક્લબ દ્વારા સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિશુલ્ક નિદાન કેમ્પનું યોજાશે
મોરબીમાં રોટરી ક્લબ અને રોટરી રીલીફ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવાર અને તા. ૨૮ ના રોજ સવારે ૧૦ થી બપોરના ૪ વાગ્યા સુધી શનાળા રોડ ઉપર જીઆઈડીસી મેઈન રોડે આવેલ સંસ્કાર બ્લડ બેંક ખાતે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેથી તેનો દર્દીઓને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે
આ કેમ્પમાં અમરેલીના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા નિદાન કરવામાં આવશે અને ખદ કરીને આ કેમ્પમાં હાથપગ, ગોઠણ, કમરના મણકાને લગતી તકલીફ તથા વાની તકલીફ, સાયટીકા, સોર્યાસીસ, સ્ત્રી રોગ, ડાયાબીટીસ જેવા જટિલ રોગોના નિદાન કરવામાં આવશે અને આ કેમ્પનો લાભ લેવા માટે અશોકભાઈ મહેતા (૯૯૭૮૪ ૪૨૮૫૧), હરીશભાઈ શેઠ (૯૩૭૬૧ ૬૧૪૦૬) અને રષેશભાઈ મહેતા (૯૮૯૮૦ ૭૧૪૭૫) તેમજ (૬૩૫૬૩ ૫૧૧૧૫) ઉપર ફોન કરી શકાશે અને મોરબીના લોકોને આ કેમ્પનો લાભ લેવા સંસ્થાના પ્રેસિડેન્ટ અશોકભાઈ મહેતા, સેક્રેટરી રષેશભાઈ મહેતા અને કમલેશભાઈ દફતરીએ જણાવ્યુ છે









