મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 


SHARE













મોરબીથી રાજકોટ રસ્તામાં ત્રિપાલ સવારી બાઇક સ્લીપ થતાં એકનું મોત: ગુનો નોંધાયો 

મોરબીમાં કામ કરતો અને રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીથી પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ધ્રુવ નગર ગામ પાસે ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હતી જે બનાવમાં સારવાર લીધા બાદ મૃતક યુવાનની સામે ઇજાગ્રસ્ત યુવાને ફરિયાદ નોંધાવતાં ટંકારા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 

જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૨) રહે. બંને રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી બુધવારે વહેલી સવારના સાડા ચારથી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવમાં હાલમાં વિશાલભાઈ બાબુભાઈ પરમારની ફરિયાદ લઈને પોલીસે મૃતક સન્ની અરવિંદભાઈ સુરેલાની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે








Latest News