મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા માટે ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવાશે


SHARE













ટંકારા તાલુકા માટે ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવાશે

ટંકારા ખાતે પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ દોડાવશે જેનું રવિવારે સાંજે લોકાર્પણએ પહેલા સવારે ફ્રી નિદાન કેમ્પનું ગિરીરાજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે શ્રી પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટંકારા તાલુકાના બિમાર અને જન્મ સાથે તાત્કાલિક સારવાર માટે ખસેડવા પડતા બાળકો માટે ફ્રી ICU ઓન વ્હીલ કાચની પેટી વેન્ટિલેટર અને ડોક્ટર સાથેની ફ્રી એમ્બ્યુલન્સનુ તા ૪ ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે કડવા પાટીદાર સમાજ ભવન કલ્યાણપર ખાતે અનેક નામાંકિત હસ્તિઓની હાજરીમાં કરવામાં આવશે. ત્યારે ટંકારા પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી ગીરીરાજ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન કેમ્પનું લોકાર્પણના દિવસે  સવારે ૯ વાગ્યેથી ૧ કલાક સુધી બાલાજી કોમ્પ્લેક્ષ લતીપર ચોકડી ખાતે  આયોજન કર્યું છે જેમાં નામાંકિત ડોક્ટર વિના મૂલ્યે નિદાન અને દવા આપવામા આવશે આ ઉપરાંત છાતીમાં દુઃખાવો કે અન્ય બાબતોમાં સ્થાન પર ઈસીજી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા આવી છે. જેનો લાભ લેવા આયોજક મંડળ અને ટ્રસ્ટે અપિલ કરી છે.








Latest News