મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા સોડા બોટલ વડે મારામારી: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













ટંકારામાં પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા સોડા બોટલ વડે મારામારી: બે ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે પાનની દુકાન પાસે ગાળો બોલવાની ના પાડવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સોડા બોટલ વડે મારામારી થઈ હતી અને તેમાં બે યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને હોસ્પિટલ મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારામાં આવેલ કન્યા છાત્રાલય પાસે રાત્રિના ૧૦ વાગ્યાના અરસામાં જય પાન પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં સોડા બોટલ મારવામાં આવતા સુનિલ નાગજીભાઈ સિંધવ (૨૩) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા તેવી જ રીતે ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા જગદીશભાઈ દેવજીભાઈ કાસુન્દ્રા (૩૫) નામના યુવાનને સોડા બોટલ મારવામાં આવી હતી જેથી તેને પણ સારવાર માટે રાજકોટમાં લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ઇજાગ્રસ્ત સુનિલ નાગજીભાઈ સિંધવ જય પાનમાં નોકરી કરે છે અને ત્યાં કોઈ શખ્સ ગાળો બોલતા હોય તેને ગાળો બોલવાની ના પાડી હતી અને જે બાબતે ઉસકેરાઈ ગયેલ શખ્સ દ્વારા તેને સોડા બોટલ મારવામાં આવી હતી જેથી કરીને મારામારી થયેલ હતી આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આ બનાવ કયા કારણોસર બનાવ બન્યો હતો અને કોણે કોને માર માર્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે

અકસ્માતમાં ઇજા
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગરમાં રહેતો રવિ ભરતભાઈ ગોઢાણીયા (૧૪) નામનો બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પટેલ વાડી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રવિને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગાયત્રી આશ્રમ નજીક રહેતો માલણીયાદ રવિ રમેશભાઈ (૨૧) નામનો યુવાન લીલાપર રોડ સ્મશાન પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે








Latest News