મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...


SHARE







ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં કારખાનાની પાછળ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં એશિયા પોલિપેક કારખાના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિકાસભાઈ મહન્થીભાઈ ચૌધરી જાતે કુર્મી (૧૮) રહે હાલ એશિયા પોલીપેક કારખાનાની ઓરડી મૂળ રહે યુપી વાળો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સંજયભાઈ ખીમાભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે ફ્લોરા હોમ્સ વોરાબાગ ગેડા સર્કલ પાસે મોરબી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ તપાસ કરાવી રહ્યા છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે હાલમાં રહેતાુ મૂળ યુપીના રહેવાસી રામઅવતાર રામકિશન જાતે કોણી (૨૧) નામના યુવાનને ગત તા ૯/૬ ના રોજ વહેલી સવારે તાવ આવતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને હવે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News