મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...


SHARE













ટંકારાના હીરાપર ગામે કારખાનાની પાછળ ઝાડ સાથે દોરી બાંધી યુવાને...

ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં કારખાનાની પાછળ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવી ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હીરાપર ગામની સીમમાં એશિયા પોલિપેક કારખાના પાછળના ભાગમાં આવેલ લીમડાના ઝાડ નીચે ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું અને આપઘાત કરી લેનાર યુવાનનું નામ વિકાસભાઈ મહન્થીભાઈ ચૌધરી જાતે કુર્મી (૧૮) રહે હાલ એશિયા પોલીપેક કારખાનાની ઓરડી મૂળ રહે યુપી વાળો હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે સંજયભાઈ ખીમાભાઈ ડાકા જાતે પટેલ (૪૪) રહે ફ્લોરા હોમ્સ વોરાબાગ ગેડા સર્કલ પાસે મોરબી વાળા લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આઇ.ટી. જામ તપાસ કરાવી રહ્યા છે.

યુવાનનું મોત

ટંકારા તાલુકાના ઓટાળા ગામે હાલમાં રહેતાુ મૂળ યુપીના રહેવાસી રામઅવતાર રામકિશન જાતે કોણી (૨૧) નામના યુવાનને ગત તા ૯/૬ ના રોજ વહેલી સવારે તાવ આવતા ટંકારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યા ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને તેને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને હવે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News