માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 


SHARE













વાંકાનેર બ્રહ્મ સમાજ ગણેશોત્સવમાં Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતો પધાર્યા 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં ગણેશોત્સવની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે Baps સ્વામિનારાયણ સંસ્થાનાં સંતોએ ખાસ પધરામણી કરતા ભાવિકોએ આશીર્વચનનો લાભ લીધો હતો.
વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઈ ઓઝા દ્વારા સ્ટેચ્યુ સર્કલ પાસે સમસ્ત બ્રહ્મ સમાજ કા રાજ દુલારા ગણેશ પંડાલ ખાતે ભક્તિભાવ પૂર્ણ ગણેશોત્સવ ઉજવણી કરવામાં
આવી રહી છે ત્યારે આ ધાર્મિક કાર્યક્રમનાં નિમંત્રણ અન્વયે મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલપ્રકાશ સ્વામીની ગણેશોત્સવમાં ખાસ પધરામણી કરવામાં આવી હતી અને તેઓના વરદ હસ્તે આરતી કરવામાં આવી હતી, અગ્રણીઓ હસ્તે સંતોનું  સન્માન કરવામાં આવ્યું હતું, હરિસ્મરણ સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે ગણેશજીનું સ્વરૂપ આપણને અનેક પ્રેરણા આપે છે,આજે કોઈ કોઈનું સાંભળતું નથી ત્યારે ગણેશજીનાં મોટા કાન આપણને સામી વ્યક્તિની વાત સાંભળવાની પ્રેરણા આપે છે, વિશ્વવંદનીય સંત પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા સામા વ્યક્તિની વાત સાંભળવી, યોગ્ય વાત એ ન સમજે તો આપણે સમજી જવું. આ તકે ભરતભાઈ ઓઝા દ્વારા સંતોનું સન્માન કરાયું હતું, રાજકોટથી બ્રહ્મ સમાજઅગ્રણી જીતુભાઈ મહેતા, વાંકાનેર બ્રહ્મ સમાજનાં પુષ્કરભાઈ ત્રિવેદી, અમિતભાઈ મઢવી, રાજુભાઈ રાજગોર, અમિતભાઈ ભટ્ટ, રાજુભાઈ રાવલ, દુષ્યંતભાઈ ઠાકર, યોગીભાઈ વ્યાસ, મહેંદ્રભાઈ આચાર્ય, રમેશભાઈ (કવિ), ઉદ્યોગપતિ ગિરીશભાઈ કાનાબાર, વાંકાનેર Baps મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી હાજર રહ્યા હતાં.




Latest News