રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન


SHARE











મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન

વાવાઝોડાની અસરના કારણે મોરબી પંથકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં કેરી અને લીંબુનો પાક ખેડૂતો લેતા હોય છે તેનો પાક ખરી પડ્યો છે અને આંબા તેમજ લીંબુના ઝાડ તૂટી પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે

સામાન્ય રીતે રૂટીન ખેતી કરતા ઓછી મહેનતે ખેડૂતોને બાગાયતી પાકમાં સારી એવી આવક થતી હોય છે જેથી કરીને રૂટીન ખેતી છોડીને ખેડૂતો દ્વારા બાગાયતી પાકની ખેતી કરવામાં આવતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે શુક્રવારે મોરબી જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ થયો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ ખેડૂતો દ્વારા આંબા પોતાની વાડીઓમાં ૫૦૦૦ જેટલા ઉછેરીને કેરીના પાક લેવામાં આવે છે તેમજ ત્યાં લીંબુની ખેતી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે

જોકે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોની વાડીઓમાં આંબા ઉપર પાક આવેલ કેરીઓ ટપો ટપ તૂટી પડી હતી અને જેથી કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયેલ છે ખેડૂતો પાસેથી જાણવા મળતી વિદ્યુત પ્રમાણે સામાન્ય રીતે ગીરની કેસર કેરી ઉનાળાના શરૂઆતના સમયથી આવવાનું શરૂ થઈ જતું હોય છે જોકે હળવદ તાલુકાના શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં જે ખેડૂતોના આંબા છે તેની કેરી કચ્છની કેરીની જેમ ચોમાસુ શરૂ થયા બાદ બજારમાં આવતી હોય છે જોકે આ કેરીનો પાક ખેડૂતો દ્વારા ઉતારી લેવામાં આવે અને બજારમાં વેચાણ થાય ત્યારે પહેલા વાવાઝોડા ની અસર ના કારણે ખેડૂતના ખેતરમાં આંબે ઝૂલતી કેરીઓ તૂટી પડી હતી અને તેના કારણે એક એક ખેડૂતને અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તેવી માહિતી હાલમાં ખેડૂતો આપી રહ્યા છે અને આ ખેડૂતોની કાચી કેરી જે તૂટી પડી છે તે હવે બજારમાં વેચાણ થશે નહીં અને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે સરકાર તરફથી તેઓને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે  






Latest News