ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા


SHARE











મોરબીના ડો.જયેશ સનારીયા વિશ્વ યોગ દિવસે આંતર રાષ્ટ્રીયકક્ષાની યોગ હરીફાઈમાં પ્રથમ ક્રમાંક વિજેતા

૨૧ મી જૂનના રોજ આંતર રાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ઋીષિકેશ ખાતે યોગની હરીફાઈ યોજાયેલી હતી.જેમાં સમગ્ર વિશ્વમાથી ઉમરની કેટેગરી મુજબ ૧૫ વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ૪૦ વર્ષથી વધુ ઉંમરની કેટેગરીમા મોરબીની સ્પર્શ સ્કીન અને કોસ્મેટિક ક્લિનિકના ડાઇરેક્ટર ડો.જયેશ સનારીયા અને દેવેન્દ્રભાઈ ફુલતારીયાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ફાઇનલ રાઉન્ડમા જયેશભાઇ સિલેક્ટ થયાં હતા જેમાં પ્રથમ નંબર મેળવ્યો હતો.

આજના ભાગદોડ અને ટેન્શનવાળી લાઈફ સ્ટાઇલમાં જો દરેક વ્યક્તિ દરરોજ અડધો કલાક યોગા, પ્રાણાયામ અને મેડિટેશન કરે તો શારીરિક ફિટનેસ અને માનસિક શાંતિમાં ચોક્કસ ફાયદો થાઈ છે.જેનું બેસ્ટ ઉદાહરણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે.જે આટલા બીઝિ હોવા છતાં પણ એક દિવસ યોગ કરવાનું ચૂકતા નથી અને એમને કયારેય બીમાર કે થાકેલા જોયા નથી.ડૉ.જયેશ સનારિયા એમના મિત્રો ડૉ.શૈલેશ પટેલ, ડૉ.વિનોદ કૈલા, સંદીપભાઈ પટેલ, ભાવિન ભાડજા અને દેવેન્દ્ર ફુલતરીયા સાથે છેલ્લા ૫ વર્ષથી યોગની પ્રેક્ટિસ કરે છે અને એમના ગુરૂ કમલેશભાઈ પટેલના કહેવા મુજબ યોગ કરવાથી સ્કીન અને વાળને લગતા રોગોમા તો ચોક્કસ ફાયદો થાઈ જ છે.પરંતુ સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોડ, બ્લડ પ્રેસર, મેદસ્વીતા, કબજિયાત, એસીડીટી, અનીદ્રા અને ડિપ્રેસન જેવા હઠીલા રોગોમાં પણ લાભ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના ડો. જયેશ સનારીયા ને સ્પર્શ ક્લિનીક ને વર્ષ ૨૦૧૫-૧૬ મા આઈ.એમ.એ. ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ ક્લિનીક એવોર્ડ, વર્ષ ૨૦૧૭-૧૮ મા આઈ.એમ.એ મોરબી બ્રાંચ દ્વારા બેસ્ટ એકેડેમિશિયન એવોર્ડ તથા ગુજરાત બ્રાંચ દ્વારા રાજ્ય કક્ષા નો બેસ્ટ સોશિયલ સર્વિસ એવોર્ડ એનાયત કરવા મા આવ્યો હતો ત્યારે તાજેતર મા આંતર રાષ્ટ્રીય કક્ષા એ નામના મેળવી સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે.






Latest News