ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમા શનિવારે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે

મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા. ૨૪ જુનને શનિવારે સાંજે ૭:૩૦ કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. અને આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી એક સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી સમાજના વડીલોનું સન્માન કરાશે. તેમજ ધો.૧ થી લઈને કોલેજ સુધીના ૮૦ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. તેમજ વિશિષ્ટ સન્માન પણ કરાશે






Latest News