ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં પીવાના પાણીનો પ્રશ્ન ધારાસભ્ય કાંતિભાઈની દરમ્યાનગીરીથી ઉકેલાયો


SHARE













મોરબીની પ્રભુકૃપા ટાઉનશિપમાં પીવાના પાણીનો પ્રશ્ન ધારાસભ્ય કાંતિભાઈની દરમ્યાનગીરીથી ઉકેલાયો

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં પીવાના પાણીના ધાંધીયા હતા અને લોકોને પીવાના પાણી માટે હેરાન થવું પડે છે તે બાબતની ફરિયાદ કરવા માટે થઈને પ્રભુ કૃપા કાઉન્સીપમાં રહેતા લોકો ગઈકાલે સવારે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત અને બપોર પછી જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પાણી બાબતે ધબધબાટી બોલાવી હતી ત્યારબાદ ધારાસભ્યએ સ્થળ ઉપર આવીને આ પ્રશ્ન ઉકેલી આપતા લોકોમાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી

મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા ટાઉનશિપમાં પીવાના પાણીના ધાંધીયા હતા જેની પંચાયતમાં તેમજ જિલ્લા પંચાયત કચેરી અને કલેકટર કચેરી ખાતે જઈને મહેન્દ્રનગરની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા લોકો રજૂઆત કરી હતી અને નિયમિત તેમજ પૂરતા પ્રમાણમાં સમયસર પાણી મળતું આપવાની માંગ કરી હતી જોકે આ બાબતની જાણ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્યને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાત્રે પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં સ્થળ ઉપરથી પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને બીજા બધા જ કામ પડતા મૂકીને પહેલા લોકોને પાણીની સમસ્યા દૂર કરવા માટેનું કામ કરવામાં આવે અને અગાઉ જે જૂની લાઈનમાંથી પ્રભુ કૃપા ટાઉનશિપને પાણીની સપ્લાય કરવામાં આવતી હતી તે હાલમાં શરૂ કરવામાં આવે તેમજ નવી વ્યવસ્થા ઉભી કરવાની છે તે આગામી દિવસોમાં યોગ્ય રીતે કાર્યરત થઈ જાય ત્યાર પછી તે વ્યવસ્થામાંથી પ્રભુકૃપા ટાઉનશીપના લોકોને પાણી મળે તે પ્રકારનું આયોજન કરવા માટે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારીઓને ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી છે આમ પ્રભુ કૃપા ટાઉનશીપ વિસ્તારના લોકો સવારથી લઈને સાંજ સુધી જુદી જુદી કચેરીઓમાં ધક્કા ખાધા હતા તેમ છતાં પણ નક્કર કામગીરી કરવામાં આવી ન હતી જોકે ધારાસભ્ય રાત્રે સ્થળ ઉપર આવીને તાત્કાલિક પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવામાં આવતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી






Latest News