મોરબીમાં સગીરાને મોબાઈલ આપવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ
મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી
SHARE
મોરબીમાં ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરી એકમેકને ઈદની શુભકામના પાઠવી
ભારતમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર ૨૯ જૂનને ગુરુવારે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી શહેરમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી અને આજે બકરી ઇદના દિવસે સવારે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરવા માટે ઈદગાહ ખાતે આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ઇદ ઉલ અઝહાની નમાજના સમય ભારતમાં દરેક શહેરમાં અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે ઈદ ઉલ અઝહાના દિવસે સૂર્યોદય પછી નમાજ અદા કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ, બકરી ઇદના દિવસે ઈદગાહમાં સવારે નમાઝ અદા કરવામાં આવે છે ત્યાર બાદ મુસ્લિમ સમાજના બિરાદરો એકમેકને ઈદની શુભકામના આપે છે ત્યારે આજે મોરબીમાં આવેલ ઈદગાહ ખાતે ધર્મગુરુ સહિતનાઓની હાજરીમાં નમાઝ અદા કરવામાં આવી હતી અને ત્યાર બાદ દર વર્ષની જેમ ઝૂલૂસ પણ નિકળ્યું હતું દરમ્યાન આજે મોરબી શહેરમાં એ ડિવિઝન પોલીસ સહિત જીલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ છે









