મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા જૈન પરિવારની યુવતી ઘરેથી શાકભાજી લેવા માટે બહાર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી અને બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારે ઘરમેળે તેણીની શોધખોળ કરી હતી છતાં પણ યુવતીનો કોઈ પતો ન લાગતા અંતે યુવતીના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે યુવતી ગુમ થઇ હોવાની જાણ કરવામાં આવતા હાલ પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મોટી હનુમાન ડેરી શેરીમાં રહેતી રિધ્ધીબેન ભરતભાઈ દોશી જાતે જૈન વાણીયા (ઉમર ૨૩) નામની યુવતી ગત તા.૨૨-૪ ના રોજ ઘરેથી સવારે નવેક વાગ્યે શાકભાજી લેવા માટે જાઉ છું તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત ફરી ન હતી.છેલ્લા કેટલાક સમયથી પરિવાર દ્વારા યુવતીની ઘરમેળે તપાસ ચલાવવામાં આવી રહી હતી છતાં પણ રિધ્ધીબેન દોશીનો કોઈ પતો લાગ્યો ન હતો.અંતે તેના ભાઈ પ્રિતેશ ભરતભાઇ દોશી (ઉમર ૨૬) રહે.મોટી હનુમાન ડેરી શેરી ગ્રીનચોકએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોતાની નાની બહેન રીધ્ધીબેન ભરતભાઈ જોશી ગુમ થયા હોવા અંગે જાણ કરતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે જેની આગળની તપાસ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં માતા-પુત્રીને ઇજા

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ શ્રીજી હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન ગણેશભાઈ પરિહાર (ઉમર ૨૬) અને તેઓની બે વર્ષની પુત્રી રિયાને ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લક્ષ્મીબેન તથા તેઓની બે વર્ષની દીકરી રિયા તેઓના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ત્યાં રવાપર ગામ પાસે આવેલ રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી પાસે તેમનું બાઈક ગાય સાથે અથડાયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં માતા-પુત્રીને ઇજા થતા તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા હર્ષિદાબેન સુનિલભાઈ ચાડમીયા નામની ૩૩ વર્ષની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ મોરબીના રવાપર-શનાળા રોડ વચ્ચેના રસ્તેથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે અંકલ સ્ટોર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.






Latest News