મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ


SHARE















લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામે તસ્કરોનો તરખરાટ જોવા મળ્યો હતો.જેમાં મંદિરની અંદર ત્રણ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.આશરે રૂા.૩૫,૦૦૦ થી વધુની કિંમતની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના નસીચપર ગામે ભક્તિનગર સોસાયટીમાં વિરસોડીયા પરિવારના કુળદેવીનું મંદિર આવેલું છે.આ મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ચાંદીના ત્રણ જેટલા છતર, એક હાર તથા દાન પેટી મળી આશરે ૩૫ હજાર જેવી મતાની ચોરી થવા પામી છે અને ત્રણ ઈસમો સીસીટીવીમાં નજરે ચડી રહ્યા હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.અત્રે નોંધનીય છે કે હવે પોલીસની કામગીરીને લઈને લોકોમાં વિશ્વાસ રહ્યો ન હોય આ બનાવની પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.તે ઉપરાંત ગામના એક મકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે લોકો દ્વારા હવે ફરિયાદ કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે જે બાબત પોલીસની !ઘનિષ્ઠ કાર્યવાહી" અને "સઘન પેટ્રોલીગ" ની ચાવી ખાઇ છે.





Latest News