મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ


SHARE













લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામે તસ્કરોનો તરખરાટ જોવા મળ્યો હતો.જેમાં મંદિરની અંદર ત્રણ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.આશરે રૂા.૩૫,૦૦૦ થી વધુની કિંમતની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના નસીચપર ગામે ભક્તિનગર સોસાયટીમાં વિરસોડીયા પરિવારના કુળદેવીનું મંદિર આવેલું છે.આ મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ચાંદીના ત્રણ જેટલા છતર, એક હાર તથા દાન પેટી મળી આશરે ૩૫ હજાર જેવી મતાની ચોરી થવા પામી છે અને ત્રણ ઈસમો સીસીટીવીમાં નજરે ચડી રહ્યા હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.અત્રે નોંધનીય છે કે હવે પોલીસની કામગીરીને લઈને લોકોમાં વિશ્વાસ રહ્યો ન હોય આ બનાવની પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.તે ઉપરાંત ગામના એક મકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે લોકો દ્વારા હવે ફરિયાદ કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે જે બાબત પોલીસની !ઘનિષ્ઠ કાર્યવાહી" અને "સઘન પેટ્રોલીગ" ની ચાવી ખાઇ છે.







Latest News