બિપરજોય વાવાઝોડા સંદર્ભે મોરબી જિલ્લામાં થયેલી કામગીરીનું મુલ્યાંકન કરતા મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા
SHARE
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ જનકપુરી સોસાયટીમાં પાણીના ધાંધીયા
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીની આગેવાનીમાં મહેન્દ્રનગર ગામની હદમાં આવેલ જનકપુરી સોસાયટીમાં પીવાના પાણીના ધાંધીયા છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી ભરતભાઇ બારોટ, જોઈન્ટ સેક્રેટરી માહિરભાઈ ખુરેશી, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટ અને યુવા કાર્યકર ભાવીનભાઈ ફેફર સહિતના લોકો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, આ સોસાયટીના લોકો ટોળાએ અગાઉ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી જો કે, પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને કલેક્ટર કચેરીએ મોરચો માંડયા હતો આબે એવી રજૂઆત કરી હતી કે, ગટર જેવું દૂષિત પાણી તેઓની સોસાયટીમાં આવે છે જે પીવાની વાત તો દૂર રહી પરંતુ વાપરવા યોગ્ય પણ નથી જેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે