ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી રોડે મચ્છુનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું મોત


SHARE











મોરબીના પાનેલી રોડે મચ્છુનગર પાસે પાણીના ખાડામાં ડૂબી જતાં બાળકીનું મોત

મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ મચ્છુનગરમાં કુદરતી હાજતે ગયેલ બાળકી પાણીમાં કોઈ કારણોસર ડૂબી ગઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળ મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર વિભાગને આ બનાવની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ત્યાં પહોચીને બાળકીના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મૃતકના કાકાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાયલાના ધારાડુંગરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રફાળેશ્વર ગામ સામે પાનેલી તરફ જવાના રસ્તા ઉપર આવેલ મચ્છુનગરમાં રહેતા મુકેશભાઈ મંગાભાઈ ઝાલા (૩૨)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેઓની ભત્રીજી અસ્મિતાબેન પીતાંબરભાઈ ઝાલા (૭) રહે. મચ્છુનગર વાળી કુદરતી હાજતે ગઈ હતી અને દરમિયાન કોઈ કારણોસર ત્યાં પાણીના ખાડામાં તે ડૂબી જતા તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે ત્યારે પહોંચીને મૃતક બાળકીના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા ભાણાભાઈ બાલાભાઇ ગોલતર નામના ૪૫ વર્ષના યુવાનને મોરબીના મકનસર રોડ ઉપર તુલસી પેટ્રોલ પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ સમર્પણ હોસ્પિટલ પાછળના ભાગે રહેતા જયેશ બાબુભાઈ ખરા નામના ૨૪ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેના પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં
મોરબીના પંચાસર રોડ રાધે ક્રિષ્ના સોસાયટી વિસ્તારમાં રહેતા સરોજબેન સુરેશભાઈ વડાવીયા નામના ૪૨ વર્ષીય મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબી વીસીપરામાં રહેતા રહિમભાઇ ઓસમાણભાઈ દલ નામના ૫૦ વર્ષીય આધેડને પંચાસર રોડ જનકનગર સોસાયટી પાસેથી એકટીવા લઈને જતા સમયે એકટીવા સ્લીપ થઈ જતા ઇજા પામતા સારવાર માટે ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા.






Latest News