મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 


SHARE











મોરબીના ઢુવા ગામે નજીવી વાતે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લેતા સારવારમાં 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામે રહેતી અને મૂળ સુરેન્દ્રનગરની પરિણીતાએ નજીવી વાતે ગળેફાંસો ખાઈ લેતા હાલ તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર ખાતે પીયર ધરાવતી અને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા ઢુવા ગામે સાસરે રહેતી હેતલબેન ભરતભાઈ જગાભાઈ ગોરીયા જાતે કોળી નામની ૨૭ વર્ષિય પરિણીતાએ તેના ઘેર ઢુવા ખાતે ગળેફાંસો ખાઇ લેતાં તેને અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી. બનાવ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાર હેતલબેન મૂળ સુરેન્દ્રનગરના છે અને હાલ તેના મા-બાપ કુવાડવા ખાતે રહે છે.થોડાક દિવસો પહેલા નાકનો દાંણો તૂટી ગયો હોય તે વાતે પતિ ભરતભાઈ કોળી કે જેઓ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે તેમની સાથે બોલાચાલી થઇ હતી.દરમ્યાનમાં ગઇકાલે હેતલબેમે ઉપરોકત પગલું ભરી લીધું હોવાનું જાણવા મળેલ છે. જોકે હાલ હેતલબેન બેભાન હાલતમાં હોય તેઓના ભાનમાં આવ્યા બાદ જ ખરું કારણ સામે આવશે તેમ પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે રહેતા ક્રિપાલસિંહ રણજીતસિંહ ઝાલા નામનો ૩૬ વર્ષીય યુવાન દુકાનેથી પરત પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં એલઇ ગ્રાઉન્ડની પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા ક્રિપાલસિંહને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે રહેતો કેતનભાઇ બીપીનભાઇ મહેતા નામનો ૪૦ વર્ષીય યુવાન ત્રાજપર ચોકડી નજીક હતો ત્યારે તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેની અત્રેની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે રહેતો વિનોદ નાનજીભાઇ ચાવડા નામનો ૨૭ વર્ષીય યુવાન હળવદ ચોકડી પાસે હતો ત્યાં તેને મારામારીના બનાવમાં ઇજાઓ થતા વિનોદભાઈને સારવારમાં ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાઘપરા શેરી નંબર-૭ માં રહેતી રીધ્ધીબેન રાજેશભાઈ નામની ૧૬ વર્ષીય યુવતી ગણેશ વિસર્જનમાં ગઈ હતી અને ત્યાં માથાકૂટ થતાં ગભરાઇ જવાથી તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી..!






Latest News