આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE













ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

કાલે ટંકારામાં સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી તા ૯ ને સાંજે ચાર કલાકે યોજાશે જેમાં વાંકાનેરના ધારાસભ્ય સાહિતના આગેવાનો હાજર રહેવાના છે

રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ શેતા, આનંદભાઈ શેતા, પરેશભાઈ કાનાબાર, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ  ઘેલાણી, દીપકભાઈ પોપટ, સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર, કાશ્મીરાબેન નથવાણી, રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ટંકારા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ આ  સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત  ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમા નર્સરીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે






Latest News