ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેનાર બાઇક ચાલકનું મોત


SHARE











વાંકાનેરમાં રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેનાર બાઇક ચાલકનું મોત

વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી વૃદ્ધ ચાલીને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થઈ હતી તેમજ બાઈક ચાલકને પણ ગંભીર થઇ હોવાથી તેને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા બાઇક ચાલકનું મોત થયું છે હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે ઈજા પામેલા વૃદ્ધની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા વાલજીભાઈ મોહનભાઈ ગોધાણી જાતે કોળી (૬૫)એ હાલમાં અજય વિરેન્દ્રસિંહ પઢિયાર (૨૩) રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ નવાપરામાં શ્રીજી પોલીમર્સ કારખાના સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજય પઢિયાર બાઇક નંબર જીજે ૩ એલસી ૩૨૨૦ લઈને ત્યાંથી નીકળ્યો હતો ત્યારે તેણે રોડ ક્રોસ કરી રહેલા ફરિયાદીને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી તથા બાઇક ચાલક રસ્તા ઉપર પટકાયા હતા જેથી ફરિયાદીને ઇજા થઈ હતી તેમજ બાઈક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા અજય વિરેન્દ્રસિંહ પઢિયારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે






Latest News