ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?


SHARE











મોરબીના તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં વરસાદી પાણી ભરાયા !: પાલિકા તંત્ર વામણું ?

મોરબી શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ લોકોને રસ્તા ઉપરથી અવરજવર કરવું માથાના દુખાવા સમાન બની જાય છે અને વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વર્ષો જૂનો પ્રશ્ન હોવા છતાં પણ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ કે વિકાસ સમિતિ દરેકનું શાસન આવી ગયું છે તો પણ પ્રશ્ન આજની તારીખે પણ યથાવત છે આજની તારીખે મોરબીના ચોક્કસ વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ નિકાલ જવાબદાર અધિકારી, પદાધિકારી કે ઇજનેરો કાઢી શક્યા નથી તે નારી વાસ્તવિકતા છે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા પગારમાં અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવે છે તેમજ જુદી જુદી ગ્રાન્ટના સ્વરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે છે જો કે, લોકોની સુખાકારીમાં લેસ માત્ર વધારો થતો હોય તેવું દેખાતું નથી !. જો વાત કરીએ મોરબીના તખતસિંહજી રોડની તો મોરબીના આ રોડ ઉપર જ્યાં વેપારીઓની દુકાન આવેલ છે ત્યાં આજકાલનું નહીં પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જાય અને બે ઇંચ કે તેથી વધુ વરસાદ પડે એટલે વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમ છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ આ વરસાદી પાણીનો કાયમી નિકાલ કરી શક્યા નથી ? મોરબીમાં શનિવારે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદના કારણે હાલમાં તખતસિંહજી રોડ ઉપર વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય તે રીતે પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલતા લોકોને વાહન લઇને નીકળવું પણ માથાના દુખાવો સમાન બની ગયું છે ત્યારે સૌથી મોટો સવાલ એવો થાય છે કે નગરપાલિકાના અધિકારી પદાધિકારી કેમ વર્ષો જૂના પ્રશ્ન ઉકેલવામાં વામણા પુરવાર થઈ રહ્યા છે






Latest News