મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી


SHARE













વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બે થી ત્રણ દિવસ પહેલા કોઈ કારણોસર કૂવામાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાડીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઇન્ડવાન ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉવ.૩૫) કોઈ કારણોસર માટે વાડીએ આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેની બોડી પણ કોહવાઈ ગઈ હતી જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની વાડીના માલિક ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી








Latest News