માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી


SHARE

















વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી

વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન બે થી ત્રણ દિવસ પહેલા કોઈ કારણોસર કૂવામાં પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની વાડીના માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઇન્ડવાન ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા છીતુસીંગ કાલુભાઇ અજનાર (ઉવ.૩૫) કોઈ કારણોસર માટે વાડીએ આવેલ કૂવામાં પડી ગયા હતા જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેની બોડી પણ કોહવાઈ ગઈ હતી જેથી તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માતના બનાવની વાડીના માલિક ઉસ્માનભાઇ અમીભાઇ કડીવારે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News