મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈને રાજ્ય સભાની બે બેઠક માટે ભાજપે ઉમેદાવર જાહેર કર્યા


SHARE











વાંકાનેરના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈને રાજ્ય સભાની બે બેઠક માટે ભાજપે ઉમેદાવર જાહેર કર્યા

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના સસ્પેન્સ પરથી પડદો ઉંચકાઈ ગયો છે. અને ભાજપે આખરે રાજ્યસભાની ચૂંટણી માટે અન્ય બે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ નામ છે મોરબી જિલ્લાના વાંકાનેર સ્ટેટના મહારાજા કેસરીદેવસિંહ ઝાલા તેમજ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈના નામ જાહેર કરવામાં આવેલ છે

ભાજપે દર વખતની જેમ ચૂંટણીમાં નવો ચહેરો ઉતારવાનો નિયમ રાજ્યસભામાં પણ કાયમ રાખ્યો છે અને બંને ઉમેદવારો આજે બપોરે બે વાગે ગુજરાત વિધાનસભા ખાતે નામાંકન પત્ર ભરશે આ જીત ભાજપની વનવે જીત બની રહેવાની છે. કારણ કે, કોંગ્રેસે પહેલેથી જ રાજ્યસભા નહિ લડે તેવી જાહેરાત કરી દીધી છે. અને વિદેશમંત્રી એસ.જયશંકરે સોમવારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે હવે આજે બાકીના બંને ઉમેદવારો પોતાનું નામાંકન નોંધાવશે.






Latest News