મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત


SHARE











મોરબીમાં એસિડ પી ગયેલ પ્રેમી યુવાનનું મોત

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તે યુવાન એસિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામા આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રાજકોટ ખાતે હોસ્પિટલના બિછાનેથી રમેશ ચૌહાણે પોલીસને નિવેદન આપ્યું હતું તેમાં તેને જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જો કે, રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રમેશ મનસુખ ચૌહાણનું મોત નીપજયું છે અને હાલમાં પોલીસે રમેશ ચૌહાણે એસિડ પી લીધું હોય તેનું મોત નીપજયું હોવાની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ જય બજરંગ વાડી નજીક રહેતો રવિ પરસોતમભાઈ સોલંકી (૨૫) નામનો યુવાન ઘરે હતો ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના વિસ્તારમાં આવેલ ડેલ્ટા જીઓ કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મુસ્કાન શુકબતીભાઈ રેકવાર (૨૬) નામની મહિલા લાલપરથી ભડીયાદ રોડ ઉપર હતી ત્યારે ફિનાઇલ પી ગઈ હતી જેથી તેને ગોવિંદ આદિવાસી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News