ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ ટંકારાના સજનપર ગામે સરકારી શાળામાં આવ્યા
SHARE
ખાનગી શાળા છોડીને વિદ્યાર્થીઓ ટંકારાના સજનપર ગામે સરકારી શાળામાં આવ્યા
ટંકારાના શ્રી સજનપર સરકારી પ્રા.શાળામાં બાલવાટીકા અને ધો.૧ માં પ્રવેશ મેળવેલ ૪૦ જેટલા બાળકોને શાળાના વાલી અને ગામના દાતા બરાસરા પીયૂષભાઈ હસમુખભાઈ દ્વારા સ્કૂલબેગ વિતરણ કરવામાં આવી હતી આ તકે ખાસ ઉલ્લેખનીય છે કે ગામના શ્રીમંત પરિવારના બરાસરા પીયૂષભાઈ પોતાના સંતાનોને મોરબીની ખાનગી શાળામાં ભણાવી શકે તેમ છે છતાં તેમના બાળકોને ગામની જ સરકારી શાળામાં જ અભ્યાસ કરાવે છે. આમ આ શાળા ઉપર વિશ્વાસ મુકવા બદલ તેમજ શાળાના બાળકોને સ્કૂલબેગ આપવા બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તેમનો શાળા વતી આભાર વ્યક્ત કરેલ છે.