ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી


SHARE











મોરબીની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી દ્વારા મહામંત્રીની પસંદગી કરવામાં આવી

માથક ગામની શાળામાં બાલ સંસદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ.ત્યારબાદ વિદ્યાર્થીના ઉમેદવારી પત્રો ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરવામાં આવી.દરેક ઉમેદવારને તેમનુ નિશાન આપવામાં આવ્યું હતુ. મતદાન પ્રક્રિયાની તમામ બાબતોને આવરી લઈને મતદાન કરવામાં આવ્યું હતુ.મતદાન યોગ્ય રીતે થાય તે માટે મતદાન અધિકારીની નિમણૂક પણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થી ગુપ્ત રીતે મતદાન કરી શકે તે માટે મતકુટીર બનાવવામાં આવી હતી. મતદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ મોબાઇલ એપ્લિકેશનની મદદથી મત આપ્યો હતો.મત આપતી વખતે વિદ્યાર્થીના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળતો હતો.વિદ્યાર્થી ચૂંટણી બાદ તેની મતગણતરી કરવામાં આવી અને વિવિધ સમિતિઓ જેવી કે બાગાયત અને પાણી સમિતિ, પ્રાર્થના સમિતિ, લાઇબ્રેરી સમિતિ, રમતગમત અને પ્રવાસન સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, બાળહાટ સમિતિના મંત્રીની પસંદગી કરવામાં આવી હતી.

સૌથી વધુ મત મેળવી શાળાના મહામંત્રી તરીકે ભોરણીયા ધવલભાઇની પસંદગી કરવામાં આવી.શાળાના આશરે ૨૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓએ પોતાના મતદાનનો ઉપયોગ કરી વિવિધ સમિતિના મંત્રી અને મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી.શાળા શિક્ષણ દરમિયાન જ વિદ્યાર્થીમાં અનુભવજન્ય જ્ઞાન અને નેતૃત્વના ગુણો ખીલે તે હેતુસર શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી.શાળાના શિક્ષક મનદીપભાઈ ગોસ્વામી અને કલ્પેશભાઈ મકવાણા દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતુ.મંત્રી અને મહામંત્રીને શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરવાની સૌએ શુભેચ્છા પાઠવી હતી.






Latest News