ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેથી કરીને પ્રેમિકા અને તેના માતા પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું અને જેથી કરીને મૃતક યુવાનના ભાભીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને ગત તા ૧૧ ના રોજ એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો ત્યારે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કેતેને પ્રેમ સબંધ હોય તેના બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની ભાભી શાંતુબેન ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (૫૪)એ હાલમાં અજયભાઇ બચુભાઇ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ અને લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લતાબેન અજયભાઇ શુકલ સાથે તેના દિયરને પ્રેમ સબંધ હતો જે તેના માતા પિતાને સારું નહીં લગતા તેને બોલાવીને ત્રણેય વ્યક્તિએ મળીને તેને પકડીને એસિડ પીવડાવી દીધું હતું જેથી કરીને ફરિયાદીના દિયરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News