ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો


SHARE













વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે ભરવાડ યુવાન પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેને વાંકાનેરથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જ્યારે અમરસર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભરવાડ સમાજનાં અગ્રણી હીરાભાઈ બાંભવાએ આપેલ પ્રાથમિક માહિતી અનુસાર અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે જગા વેલા ગમારા ભરવાડ યુવાન પર હુમલો થતાં ટોળા ઉમટી પડયાં હતાં, યુવાનને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યારે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને હુમલા ખોર કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી ધરી પોલીસ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.








Latest News