મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત


SHARE













ટંકારાના મીતાણા પાસે રસ્તો ઓળંગતા વૃદ્ધ એસટી બસની હડફેટે ચડી જતા સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામના વૃદ્ધ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે એસટી બસની હડફેટે ચડી જતા ઈજા પામતા મોરબીની સિવિલે અને બાદમાં અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે ટંકારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા મીતાણા ગામે રહેતા બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના ૭૫ વર્ષના વૃદ્ધ ગઈકાલ તા.૨૧-૭ ના સવારના ૯:૩૦ વાગ્યાના અરસામાં મીતાણા ગામના પાદર નજીક મેલડી માતાના મંદિર પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા.ત્યારે મોરબી રાજકોટ હાઇવે ઉપર એસટી બસની હડફેટે ચડી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બળવંતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું.મૃતકના ભત્રીજા વિક્રમસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓના કાકા બળવંતસિંહને આંખે ઓછું દેખાતું હતું અને તેઓના લગ્ન થયા ન હોય સંતાન ન હોવાથી તેઓની સાથે જ રહેતા હતા.દરમિયાનમાં ગઈકાલે તેઓ ગામના પાદર નજીક રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અકસ્માતે એસટી બસની ઝડપે ચડી જવાથી ઇજા પામતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજેલ છે.

બાળકી સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક રહેતી પાયલબેન મહેશભાઈ અદગામા નામની આઠ વર્ષની બાળકીને વાહન અકસ્માતમાં ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સવારે સ્કૂલે જતા સમયે ત્રાજપર નજીક આવેલ ચામુંડા પાન નામની દુકાન નજીક અજાણ્યા બાઇક ચાલકે પાયલબેનને હડફેટે લેતા ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેણીને દવાખાને સારવાર માટે ખસેડાઇ હતી.હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ બાબતે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જનાવર કરડી જતા સારવારમાં

મોરબીના આંદરણા ગામે રહેતા રાજુપ્રસાદ બંસીલાલ મીણા નામના ૧૭ વર્ષના યુવાનને આંદરણા ગામ નજીક આવેલ ભેરૂનાથ હોટલ પાસે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે








Latest News