મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત
SHARE
મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત
મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ લખધીર ગેટ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ છે ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રજુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ અધિકારીઓની બેઠક હતી તેમાં આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને ચર્ચા કરી હતી અને ત્યાં વહેલીથી વહેલી તકે લખધીરસિંહજી લખેલું બોર્ડ મૂકવામાં આવશે તેવી બાહેધરી મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજને આપી છે આ તકે શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લાના પ્ર્મૌખ સહિતના હોદેદારો તેમજ મોરબી રાજપુત સમાજના આગેવાન હાજર રહ્યા હતા