મોરબી ઝૂલતા પુલ કેસમાંથી સ્પેશિયલ સરકારી વકીલ એસ.કે.વોરાએ મૂક્યું રાજીનામૂં
મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો
SHARE
મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો
મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલ લાયન્સ નગરમાં મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તરફથી જે કોઈ ફરિયાદ મળી તેના ઉપર તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેની સાથોસાથ કોઈ પણ માહિતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા માટે પણ પોલીસ અધિકારી તરફથી સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું આ તકે ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા અધિકારીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સંજયભાઈ વાઘેલાએ બાબા સાહેબ આંબેડકરની પુસ્તક અધિકારીને ભેટ આપી હતી