મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE















ગુનેગારોનો ઉતારો મોરબી..? : ઉત્તરપ્રદેશમાંથી અપહરણ કરાયેલ યુવતી આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાતમીના આધારે યુપી પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુુ અને ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનેલ યુવતી સાથે મળી આવતા હાલ બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાના મંદપા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનેલ યુવતી આરોપી સાથે મોરબી હોવાની બાતમી મળતા ત્યાંના મંદપા પોલીસ મથકના એસઆઈ વિજયપાલસિંહ સ્ટાફ સાથે મોરબી આવ્યા હતા અને મળેલ બાતમીના આધારે મોરબીના સામાકાંઠે કુબેર ટોકીઝ પાછળ આવે ધાર વિસ્તારમાં સ્થાનિક સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને સાથે રાખીને સર્ચ કરવામાં આવતા ત્યાંથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરાયેલી યુવતી આરોપી અમિત બલ્લુભાઈ તિવારી રહે.ઇટાલીયા થાના બલીયા જનપદ હમીરપુર યુપી વાળા સાથે મોરબીમાંથી મળી આવી હતી.જેથી હાલ આગળની કાર્યવાહી અર્થે બંનેને હસ્તગત કરીને સાથે યુપી લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ બક્ષી શેરીમાં રહેતા મહેશભાઇ અશોકભાઈ આચાર્ય નામના ૪૧ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે જાતે બ્લેડ વડે ડાબા હાથના ભાગે ચેકા મારીને ઇજાઓ કરી હતી જેથી ઇજાગ્રસ્ત મહેશભાઈ આચાર્યને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીની વાવડી ચોકડી નજીક આવેલ મોતેશ્વર મહાદેવ મંદિર પાસેના ગોકુલનગર વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં રવિ સુભાષભાઈ રાઠોડ નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા હાલ મારામારીના આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News