આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાં જતાં પ્રદુષિત પાણીને રોકવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમમાં જતાં પ્રદુષિત પાણીને રોકવા કોંગ્રેસની માંગ

મોરબીના મચ્છુ-૨ ડેમમાં પ્રદુષિત પાણી અને કડદો નાખવામાં આવે છે તેવી રજૂઆત હાલમાં કોંગ્રેસના આગેવાન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે અને ડેમાંથી લોકોને પીવા માટેનું તેમજ ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી આપવામાં આવે છે ત્યારે તે ડેમનું પાણી દૂષિત થતું અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતા કોંગ્રેસના આગેવાન રમેશભાઈ રબારીએ કલેક્ટરને રજુઆત કરી છે જેમાં જણાવ્યું હતું કે, મોરબીની આસપાસમાં ઘણા કારખાના આવેલ છે તેમાંથી નીકળતા પ્રદૂષણનો યોગ્ય નિકાલ કરવાના બદલે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે રીતે મચ્છુ-૨ ડેમમાં પાણી જાત તેવી રીતે તેને નાખવામાં આવે છે હાલમાં રફાળેશ્વરની આજુબાજુમાં આવેલ પેપરમિલો તેમજ સિરામીક ફેકટરી દ્વારા કેમીકલયુકત વેસ્ટ કચરાના ઢગલા કરવામાં આવે છે જેમાંથી વરસાદી પાણી હાલમાં મચ્છુ-૨ ડેમમાં જાય છે જે લોકોના આરોગ્યને તેમજ અબોલ જીવને નુકશાન થાય તેવી ભીતિ છે જેથી કરીને વહેલી તકે પ્રદૂષણ રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં જણાવ્યુ છે કે, સરકારી ખરાબો તથા ઈરીગેશનની જગ્યા છે. ત્યાં પેપરમિલો તથા સિરામીકના કચરાને નાખવામાં આવે છે જેના કારણે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને પણ હેરાન થવું પડે છે જેથી કરીને ડેમમાં જતાં દૂષિત પાણીને અને આ પ્રવૃતિને રોકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News