મોરબીમાં સતવારા નવગામ જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે
મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
SHARE
મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન
મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગમી તા ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે
મોરબીમાં દર વર્ષે રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૨૪ સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો.૯ થી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ અને ઈનામો આપીને સન્માનીત કરવામાં આવશે તારે સંસ્થાના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને તા ૧૪ સપ્ટેમ્બર સુધીમાં તેના ફોર્મ ભરી આપવાના છે અને તે ફોર્મ મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદિરવાળી શેરી, દરિયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડની સામે આપવાના છે અને વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ તેમજ પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઈ કાથરાણીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે